પોરબંદરઃ-

હાલ તહેવારની સીઝન ચાલી રહી છે ત્યારે દશેરામાં ફરસાણ અને મીઠાઈમાં ભેળસેળ અંગે પોરબંદર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા પોરબંદર શહેરની અલગ અલગ વિસ્તારોમાં આવેલી 16 જેટલી દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ અધિકારીએ 3 દુકાનોએથી ખાદ્યપદાર્થોના સેમ્પલ એકત્ર કર્યા હતા. ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા વેપારીઓને ખાદ્ય પદાર્થને લઈ નીચના નિયમોનું પાલન કરવા સુચના અપાઈ છે. હાલ નવરાત્રિ અને દશેરાનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે પોરબંદરમાં પાલિકાના ફુડ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.