અરવલ્લી/નનાનપુર : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરના વોર્ડ નંબર પાંચ ના લોક પ્રશ્નનોથી અને જાહેર હિતના પ્રશ્નોના નિકાલ માં પ્રાંતિજ નગરપાલિકા કે જાણે કે કોઈજ રસ ન હોય અને ચોક્કસ વિસ્તાર ના લોકો ભલેને પરેશાન થાય એવી ગંદી માનસિકતા હોય એમ ખાસ જરૂરી બાબતો વારા પ્રશ્નો ની પણ નિકાલ કરવામાં આવતા નથી. 

રસ્તા ના કામો સફાઈના કામો અને ગટરના ઢાંકણાના પ્રશ્નો તેમજ જાહેર માર્ગો પર ગટરના પાણી કે અન્ય પાણી દ્વારા થતી ગંદકી અને કાદવ કીચડ તેમજ દવા છંટકાવ સહિતના કોઈજ કામો નહીં થતા હોવાની સાથે વિસ્તારના લોકોની ફરીયાદો ઉઠવા પામી છે .આ બાબતે પ્રાંતિજ નગરપાલિકા ના અપક્ષ કોર્પોરેટર અને જાણીતા એડવોકેટ મોહસીન છાલોટીયા દ્વારા થોડાક સમય પહેલા જ વોર્ડ નંબર પાંચ ના વિવિધ લોકહિતના કામો સંદર્ભે પ્રાંતિજ નગરપાલિકા ના સત્તાવાળાઓ અને અધિકારીઓ ને લેખિત જાણ કરી હોવા છતાં કોઈજ કામનો નિકાલ કે નોંધ નહીં લેવાતાં અંતે લોકહિતના પ્રશ્નો ના ઉકેલ માટે છાલોટીયા એ પુનઃ નગરપાલિકા ના સત્તાવાળાઓ ને લેખિત જાણ કરી છે. ગાંધી જયંતિએ સ્વચ્છ અને સ્વસ્થ નગરની હાકલ કરનાર પાલિકાના પ્રમુખ વોર્ડ-૫ ના વણઉકલ્યા પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપે તેવી લોકલાગણી વ્યાપક બની છે. પ્રાંતિજ નગરના વોર્ડ નંબર -૫ માં મોટાભાગે લઘુમતી સમાજની વસ્તી છે.જ્યાના લોક પ્રશ્નો એવા રસ્તાના કામો, સફાઈના કામો, ગટરોના ઢાંકણાના પ્રશ્નો તેમજ જાહેર માર્ગો પર ગટરના ઉભરાતાં ગંદા પાણી, મદીના સ્ટ્રીટ પાછળ દેવીપૂજક સમાજના ઘરો સામે કચરાના ઢગ.જ્યાં-ત્યાં રેલાતા ગંદા પાણીથી થતાં ગંદકી અને કાદવ- કીચડ તેમજ જંતુનાશક દવાના છંટકાવ સહિતના કોઈ જ કામો નહીં થતા હોવાની લોક ફરિયાદો ઉઠવા પામી છે. આ સમસ્યાઓનો ઉકેલ ના આવતા આ વિસ્તારના રહીશો પરેશાની ભોગવી રહ્યા છે. થોડાક સમય પહેલા જ વોર્ડ નંબર -૫ ના વિવિધ લોકહિતના કામો સંદર્ભે પ્રાંતિજ પાલિકાના સત્તાવાળાઓ અને અધિકારીઓને લેખિત જાણ કરાઈ હતી . જેના પગલે પાલિકાના ઈજનેરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.તેમ છતાં કોઈ જ કામનો નિકાલ આવ્યો નથી.વોર્ડની પ્રજાના લોકહિતના પ્રશ્નોના ઉકેલ માટે કોર્પોરેટર મોહસીન છાલોટીયાએ પુનઃ નગરપાલિકાના સત્તાવાળાઓને રજૂઆત કરી છે. ગાંધીનગર ખાતે પણ લોકલાગણી પહોંચાડવામાં આવી છે.