અમદાવાદ-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું હતું એરપોર્ટથી વડાપ્રધાન મોદી બાય રોડ સીધા ગાંધીનગર જવા રવાના થયા હતા. અહીં તેઓ કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલી આપવા પહોંચશે. ત્યારબાદ તેઓ નરેશ-મહેશ કનોડિયાના નિવાસ સ્થાને પણ જશે અને તેમને શ્રદ્ધાંજલી આપશે. આ ઉપરાંત શક્યતાઓ છે કે તેઓ તેમના માતા હિરાબાને પણ મળવા જશે. ત્યારબાદ તેઓ કેવડિયા જવા રવાના થશે.