અમદાવાદ-
અમદાવાદ એસટી રૂટને લઈને આજે ફી એક વખત એક મોટો નિર્ણય લેવાયો છે. રાજ્યના એસટી વિભાગે અમદાવાદ-સુરત રૂટની એસટી અને ખાનગી બસોને આજથી વધુ સાત દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કોરોનાને લઈ ઉચ્ચકક્ષાએ વિચાર-વિમર્શ કર્યા બાદ આખરે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ખાનગી વાહન, ટ્રક, માલવાહક વાહનો ચાલુ રહેશે.
સુરતમાં કોરોનાના કેસોમાં કૂદકેને ભૂસકે વધારો થતા ઉચ્ચકક્ષાએ આ પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ છેલ્લા 15 દિવસથી વધુ સમયથી એસટી બસ તેમજ ખાનગી બસોનું સંચાલન હાલ બંધ રાખવામાં આવ્યું છે. ત્યારે આગામી 7 દિવસ ફરીથી બસોનું સંચાલન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એસટી નિગમ દ્વારા સુરત જતી આવતી બસોનું સંચાલન 14 ઓગસ્ટથી વધુ 7 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ અધિકારીએ જણાવ્યું હતું. જો આ સમય દરમિયાન અન્ય ખાનગી વાહન, ગુડ્સ પરિવહન, ટ્રક વગેરે રાબેતા મુજબ ચાલૂ રહેશે. જ્યારે અન્ય વિસ્તારોમાં એસટી, ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments