દિલ્હી-

કૉંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર તરફથી ફાળવાયેલા સરકારી બંગલાને અંતે ખાલી કરી દીધો છે. SPG સુરક્ષા હટ્યા બાદ તેમને લોધી એસ્ટેટ સ્થિત સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. મળતી જાણકારી મુજબ, હવે તેમનું નવું નિવાસસ્થાન ગુરુગ્રામમાં હશે. મળતી માહિતી મુજબ, તેઓએ ગુરુગ્રામના સૌથી પૉશ વિસ્તારમાં ફ્લેટ લીધો છે. આ પહેલા તેઓ લખનઉ માં શિફ્ટ થવાની અટકળો ચાલી રહી હતી.

નોંધનીય છે કે, પ્રિયંકા ગાંધીની સુરક્ષા હટ્યા બાદ તેમને લોધી એસ્ટેટ સ્થિત સરકારી બંગલો ખાલી કરવાનો હતો, જેની સમય મર્યાદા 31 જુલાઈએ ખતમ થઈ રહી હતી. હવે પ્રિયંકા ગાંધીનું નવું સરનામું ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ સ્થિત આરાલિયા સોસાયટીનું હશે.