દિલ્હી-

કેન્દ્ર સરકારે દેશની 4 હજાર આર્મી કેન્ટીન્સને વિદેશી સામાન આયાત ન કરવાનો આદેશ આપી દીધો, જેમાં મોંઘોદાટ વિદેશી દારૂ પણ સામેલ છે. સરકારે આ ર્નિણય આર્ત્મનિભર ભારત અભિયાન હેઠળ સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી લીધો છે. ર્નિણય પહેલાં ત્રણેય સેનાઓ પાસેથી સલાહ લેવામાં આવી હતી.

દેશમાં લગભગ 4 હજાર આર્મી કેન્ટીન છે, જેમાં ડિસ્કાઉન્ટ ભાવે સામાન મળે છે, જેનો ફાયદો વર્તમાન અને પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારોને મળે છે. સામાન્ય રીતે વિદેશી દારૂ અને ઈલેક્ટ્રોનિક્સ સામાનની માગ વધુ રહે છે. સરકારના ર્નિણય પછી હવે આર્મી કેન્ટીનમાં વિદેશી સામાન નહીં વેચી શકાય, જેમાં વિદેશી દારૂ પણ સામેલ છે. આર્મી કેન્ટીન દેશની સૌથી મોટી રિટેલ ચેઈનમાંની એક છે, જેમાં દર વર્ષે લગભગ 200 કરોડ રૂપિયાનું વેચાણ થાય છે.

19 ઓક્ટોબરે રક્ષા મંત્રાલયે વિદેશી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ડાયરેક્ટ ઈમ્પોર્ટ નહીં કરવામાં આવે. ઓર્ડર પ્રમાણે, આ અંગે આર્મી, એરફોર્સ અને નેવી સાથે મે અને જુલાઈ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડોમેસ્ટિક એટલે ઘરેલુ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની પહેલ હેઠળ લેવામાં આવેલો ર્નિણય છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે કંઈપણ કહેવાનો ઈનકાર કરી દીધો છે.