ગાંધીનગર, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગથી આયોજિત ઇન્ડીયા સ્કિલ્સ-૨૦૨૧ની વેર્સ્‌ટન રિજીયનની સ્પર્ધાના વિજેતા યુવાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં. ઇન્ડીયા સ્કિલ્સ-૨૦૨૧ની પ્રાદેશિક સ્પર્ધામાં પશ્ચિમ ક્ષેત્રના ગુજરાત-ગોવા-મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ-રાજસ્થાન રાજ્યોના ૨૩૦ થી વધુ યુવા સ્પર્ધકોએ ૩૮ કૌશલ્યોમાં સ્પર્ધા કરી. ૮૨ વિજેતાઓ ડિસેમ્બર-ર૦ર૧માં ઇન્ડીયા સ્કિલ નેશનલમાં પ્રતિનિધિત્વ કરશે.આ કાર્યક્રમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુંકે, ઇન્ડીયા સ્કિલ્સ-૨૦૨૧ માત્ર સ્પર્ધા નહિં પરંતુ આપણી યુવાશક્તિને ગ્લોબલ યુથ બનવાની તક આપતું પ્લેટફોર્મ છે. દરેક વ્યક્તિમાં નાનપણથી જ કોઇને કોઇ સ્કિલ પડેલી હોય જ છે તેને યોગ્ય નિખાર આપવાની શરૂઆત હવે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સ્કિલ ઇન્ડીયાથી થઇ છે. આપણે જ્યાં હોઇએ ત્યાં દેશ હિતનું એકાદ કામ પણ કરીએ પાણી-વીજળી-બચાવીએ પર્યાવરણ જાળવીએ તે રાષ્ટ્ર હિત-દેશ સેવા જ છે, આ રીતે પણ આપણે દેશની સેવા કરી શકીએ છે. ભૂપેન્દ્ર પટેલે આ સ્પર્ધામાં વિજેતા થયેલાં સ્પર્ધકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ જણાવ્યું કે, આ ટેક્નોલોજીકલ ક્રાંતિનો સમય છે. વિકસતી ટેક્નોલોજીના યુગમાં ભવિષ્યના નેતૃત્વ માટે યુવાનોને તૈયાર કરવા માટે આપણે તેમની વિચારસરણી અને વ્યવહારિક ક્ષમતાઓને ઘડવી જ જાેઇએ. આવા કાર્યક્રમ માત્ર રોજગારની ઈચ્છા જ નહીં પરંતુ યુવાનોની માનસિકતાને વિસ્તૃત કરવાનો પણ પ્રયાસ કરે છે. વાસ્તવિક પ્રગતિ માટે રાષ્ટ્રને સારા સાહસિકો અને વૈજ્ઞાનિકોની પણ જરૂર હોય છે જે સ્કિલ ઇન્ડિયા મિશન થકી પૂરી થશે.માર્ગ - મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ સંબોધન દરમિયાન જણાવ્યુંકે, કૌશલ્ય એક એવો વિષય છે કે જે બાળકના જન્મની સાથે જ કુદરતી રીતે તેનામાં હોય છે પણ જરૂર માત્ર તેને વિકસાવવાની હોય છે અને આ કામ આપણા દીઘર્દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કર્યું છે. જેના પરિણામ સ્વરૂપ આજે વધુને વધુ યુવાઓ પોતાના કૌશલ્યને પ્રદર્શિત કરવા આવા કાર્યક્રમોમાં સહભાગી થઇ રહ્યા છે. આપણું કૌશલ્ય આપણને અન્યો કરતા અલગ તારવે છે. જે આપણને આર્ત્મનિભર બનવા પ્રોત્સાહિત કરે છે. જેમ જેમ કૌશલ્ય કેળવાશે તેમ તેમ રોજગારી વધશે અને આર્ત્મનિભર ભારતનું સ્વપ્ન ઝડપથી સાકાર થશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. શ્રમ - રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશ મૅરાજાએ કહ્યું કે, આજનો યુવા પોતાના કૌશલ્યને ઓળખે, વિકસાવે અને રોજગારનું સર્જન કરે તે માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.