અમૃતસરઃ-

કોંગ્રેસમાં શામેલ થવાની અટકળો વચ્ચે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહના મુખ્ય સલાહકારના પદ પરથી રાજીનામું આપ્યું છે. પ્રશાંત કિશોરે આ રાજીનામું એવા સમયે આપ્યું છે. જ્યારે આગામી વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. સૂત્રોની માનીએ તો, પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહના મુખ્ય સલાહકાર પદ પરથી એ કહીને રાજીનામું આપ્યું છે કે, તેમણે સાર્વજનિક જીવનમાં સક્રિય ભૂમિકાથી અસ્થાયી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહના પ્રમુખ સલાહકાર પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, તેમણે સાર્વજનિક જીવનમાં સક્રિય ભૂમિકાથી અસ્થાઈ બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.