પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શિવ મંદિરોને સેનિટાઈઝેશન અને સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી. તેમજ ભાવિક ભક્તોને સુવિધા મળે તે માટે સુંદર વ્યવસ્થાનું આયોજન કરાયું છે. ઉપરાંત દશા હરનારી માતા દશામાના વ્રત કરનારા ભાવિકોએ દશામાની મૂર્તિ, પૂજાપા સહિતની વસ્તુઓની ખરીદી કરી હતી.