અમદાવાદ-

વેલમાર્ક લૉ પ્રેશરમાં ફેરવાતાં હવે આગામી 3 દિવસ દરમ્યાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પાડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે આપેલી આગાહી પણ પરત લેવાઈ છે. વેલમાર્ક લૉ પ્રેશરમાં ફેરવાતાંની સાથે જ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ચોમાસાની પૂર્ણાહૂતિ થઇ ચૂકી છે. ફક્ત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાંથી ચોમાસાની પૂર્ણાહૂતિ બાકી છે, જે આગામી દિવસોમાં થઈ જશે. અરબ સાગરમાં તૈયાર થયેલું વેલમાર્ક ડીપ ડિપ્રેશન નબળું પડ્યું છે. વેલમાર્ક હવે લો પ્રેશરમાં ફેરવાયું છે. જેના કારણે હવે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને બાદ કરતાં સમગ્ર ગુજરાત પરથી વરસાદનું સંકટ ટળ્યું છે.