વડોદરા, તા.૨૫
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં યોજાનારી વડોદરાની ૧૦ વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસ, ભાજપ સહિત પક્ષોના ઉમેદવારોએ પ્રચાર તેજ બનાવ્યો છે. ત્યારે આવતીકાલે સયાજીગંબ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સભાનું આયોજન ફતેગંજ ખાતે કરવામાં આવ્યું છે.
વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓની ફોજ પ્રચાર માટે મેદાનમાં ઉતરી છે અને વિવિધ સ્થળોએ સભાઓ ગજવી રહ્યા છે. આવતીકાલે વડોદરામાં મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની સભા યોજાનાર છે. ત્યારે સયાજીગંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે ફતેગંજ મેઈન રોડ પર સાંજે ૭.૩૦ કલાકે યોજાનાર સભાને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સંબોધશે. ચૂંટણી પ્રચાર માટે હવે ૮ દિવસનો સમય રહ્યો છે, ત્યારે તમામ પક્ષો એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments