રાજકોટ-

રાજકોટમાં છેલ્લા ક્ટલાય દિવસથી કોરોનાનો કહેર વઘતો અને વઘતો જ જોવામા આવી રહ્યો છે. ફરી કોરોના સંદર્ભે રાજકોટને હચમચાવતી વિગતો સામે આવી ગઇ છે અને પાછલા 24 કલાકમાં રાજકોટમાં કાળમુખા કોરોનાનાં કારણે અધધધ 22 દર્દીઓના મોત નીપજ્યા હોવાનું નોંધવામાં આવી રહ્યુ છે. તમામ 22 દર્દીઓનાં કોરોના સારવાર દરમિયાન શહેરની જૂદી જૂદી હોસ્પિટલમાં મોત નીપજ્યા છે. આપને જણાવી દઇએ કે, પાછલા 24 કલાકમાં નોંધવામાં આવેલા 22 દર્દીઓનાં મોતમાંથી 16 દર્દીઓના રાજકોટની સિવીલ હોસ્પિટલમાં મોત નીપજ્યા છે, તો 6 દર્દીઓનાં રાજકોટની જૂદી જૂદી ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યાનું સામે આવી રહ્યું છે.