રાજકોટ-

દિવાળી પર્વ નિમિત્તે રાજકોટમાં કેટલા ફટાકડા સ્ટોલ ધારકો દ્વારા NOC માટે અરજી કરવામાં આવી છે, તે અંગે રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર આઈ.વી ખેર દ્વારા જણાવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં 152 જેટલી અરજીઓ ફટાકડા વહેંચાણ માટે આવી છે. જેમાંથી 83 જેટલી અરજીઓ ઘટના સ્થળની મુલાકાત લઈને તમામ નીતિ નિયમો ચકાસીને મંજૂર કરવામાં આવી છે, જ્યારે અન્ય અરજીઓ માટેની ઘટના સ્થળની તપાસની કામગીરી હાલ શરૂ છે. જો અહીં પણ બધું બરાબર હશે તો તેમને પણ મંજૂરી આપવામાં આવશે. ફાયર વિભાગ દ્વારા કેવી રીતે આપવામાં આવે છે NOC 

જ્યારે કોઈ દુકાનદારે ફટાકડા વહેંચવા હોય તો પ્રથમ પોલીસ પાસે તેના વહેંચાણના લાયસન્સની મંજૂરી લેવી પડે છે. ત્યાર બાદ જો ફટાકડાનો સ્ટોલ નાખવો હોય તો જેતે મનપાની એસ્ટેટ શાખામાં અરજી કરવી પડે છે એ બન્ને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ NOC માટે જે તે ફાયર વિભાગમાં અરજી કરવી પડે છે અને ફાયરવિભાગ દ્વારા ફટાકડા સ્ટોલની વિઝીટ કરી ફાયર સેફ્ટી સહિતના સાધનો અને નીતિ નિયમો મુજબો સ્ટોલ હોય તો જ NOC આપવામાં આવે છે.