રાજકોટ-

રાજકોટ રાજ્યસભા સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને તેમના પુત્ર અંશની કોરોના રિપોર્ટ પોઝીટીવ આવી છે. રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક તરફ જ્યાં રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિવસ ઝડપથી વધી રહ્યા છે.

રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી અને રાજયસભાના ભાજપના સાંસદ અભયભાઈ ભારદ્વાજ, તેમના પુત્રી અને પૌત્રને તથા તેમની ઓફીસના સ્ટાફના ૮ સભ્યોને ગઈકાલે કોરોના પોઝીટીવ આવ્યો હતો. અભયભાઈને અને તેમના પુત્ર અંશને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારદ્વાજ પરીવારમાં એક સાથે કોરોના પોઝીટીવ આવતા ઘેરી ચિંતાની લાગણી ફેલાયેલ છે.