રાજકોટ-

રાજકોટ શહેર ખાતે બાંધકામનો વ્યવસાય કરતા કિશોરભાઈ પરસાણા નામના શખ્સે ફરિયાદ નોંધાવી હતી. કિશોરભાઈ એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના વિધવા ભાભીના વોટ્સએપ પર કોઈ અજાણ્યા શખ્સનો મેસેજ આવ્યો છે. જે મેસેજમાં વ્યક્તિએ ધમકી આપતાં જણાવ્યું હતું કે, 'જો તું 72 કરોડ નહીં આપે તો તારી ત્રણેય દીકરીઓને જીવવા નહીં દઉં. આ કિસ્સામાં અપહરણ કર્યાં વગર જ એક લવરમૂછિયા ખંડણીખોરે 72 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પારસ ઉર્ફે પરિયો મહેન્દ્રભાઈ મોણપરા નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે.

જો તું 72 કરોડ નહીં આપે તો તારી ત્રણેય દીકરીઓને જીવવા નહીં દઉં. તારી ડેનિશા નામની છોકરી અમદાવાદમાં ક્યાં રહે છે તેની મને ખબર છે. 72 કરોડ રૂપિયા આપી દે નહીં તો તેનું અપહરણ કરી જાનથી મારી નાંખીશ.' આવી ધમકી આપતા લવરમૂછિયાની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરી સમગ્ર મામલાને થાળે પાડ્યો છે.વોટ્સએપ પર મેસેજથી કારણે ડરી ગયેલા પરસાણા પરિવારે થોડાક સમય પૂર્વે જ અમદાવાદ ગયેલી પોતાની વ્હાલસોયી દીકરી ડેનિશાને રાજકોટ પરત બોલાવી લીધી હતી. બીજી તરફ સમગ્ર મામલે પીએસઆઇ હસમુખ ધાંધલીયા અને તેમની ટીમના રાજેશભાઈ બાળા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, સુભાષભાઈ ચૌધરી, પ્રદિપસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર તેમજ શક્તિસિંહ ગોહિલ દ્વારા ખંડણીખોરની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.