રાજકોટ-

રાજકોટ શહેરમાં શુક્રવારે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના કારણે કુલ 5 લોકોના આગમાં ભૂંજાઈ જવાથી મૃત્યું થયા છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કલેક્ટરે આપેલી જાણકારીમાં જાણવા મળ્યું છે. આ દૂર્ઘટના પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દુઃખ સાથે શોક વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે સરકારે ગંભીરતાથી તપાસ કરવી જોઈએ 

તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે રાજકોટના એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના ખરેખર દુઃખદ છે. અમદાવાદમાં પણ ઓગસ્ટમાં આ પ્રકારની આગ લાગી હતી. રાજ્ય સરકારે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવી જોઇએ. આ દર્દીઓના પરિવાર પ્રતિ મારી સંવેદના, જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.