રાજકોટ-

રાજકોટના રજપૂત પરિવાને  ચોટીલા પાસે અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માતમાં રજપૂત પરિવારના 13 સભ્યોને ઇજા પહોંચતાં ચોટીલા અને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે અંતર્ગત કોઠારીયા વિસ્તારમાં આવેલા રણુજા મંદિર પાસે શિવધારા મહેતા ભાનુબેન મકવાણા નામના 40 વર્ષીય મહિલાનું મોત નિપજતા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રહેતા રજપૂત પરિવારના બે જેટલા કુટુંબ સુરાપુરા ના દર્શન અર્થે જઈ રહ્યા હતા. આ સમયે ચોટીલા નજીક આવેલા આપાગીગાના ઓટલાના પાસે છોટા હાથી તેમજ ડમ્પર વાહન વચ્ચે અકસ્માત સર્જાતા પરિવારના 13 જેટલા લોકો ઘાયલ થયા હતા.