રાજકોટ-

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટનામાં મૃતક કમનશીબો ના પરિવાર ને સરકારે 4 લાખ ની સહાય ની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દર્દીઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું, સાથે જ આગની દુર્ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને સોંપી છે. આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક દર્દીના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.આ બનાવે સમગ્ર રાજ્ય માં ભારે ચકચાર જગાવી છે. જોકે આગની ઘટના મામલે રાજય સરકારે સચિવ એ. કે. રાકેશને દુર્ઘટના ની તપાસ સોપાઈ વામાં આવી છે.