અમદાવાદ-

શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે, તો આજના દિવસે બ્રાહ્મણો પવિત્ર જનોઇ બદલતા હોય છે. મોડાસાના ગોકુલેશનાથજી મંદિર નજીક આવેલી બ્રાહ્મણ સમાજની વાડીમાં સિમિત સંખ્યામાં બ્રાહ્મણો જોડાયા હતાં અને વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી હતી. આ વર્ષે કોરોના વાઈરસને કહેરને લઇને ભુદેવોની સંખ્યા ઓછી રાખી પવિત્ર દિવસે નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી.