પાદરા, તા.૨

પાદરામાં ૧૨ દિવસ અગાઉ વિધર્મી યુવક દ્વારા હિન્દુ ધર્મની યુવતીને લવજેહાદના નામે પટાવી-ફોસલાવી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જતાં જેની સામે કોઈ જ કાર્યવાહી નહીં થતાં હિન્દુ સંગઠનો દ્વારા જનઆક્રોશ સાથે રેલી નગરના વિવિધ માર્ગો પર ફરી પાદરા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી વિધર્મી યુવક પર કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી હતી. નગરના મુખ્ય માર્ગો પર સૂત્રોચ્ચાર સાથે મહિલાઓએ પોલીસનો ઘેરાવો કરી તપાસ નહીં કરતી હોવાના આક્ષેપ કર્યા હતા.

પાદરા નગરના તળાવ પાસે જે યુવતીને ભગાડી ગયો હતો તે જ વિસ્તારમાંથી જનઆક્રોશ રેલી નગરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભેગા મળી ગાંધીચોક બજાર અંબાજી રોડ થઈ પાદરા મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે પહોંચી હતી.

સૂત્રોચ્ચારથી મામલતદાર કચેરી વિસ્તારને મહિલાઓએ ગજવી મૂકી હતી. ત્યાર બાદ પાદરા તાલુકા સેવા સદનના મામલતદારને આવેદનપત્ર આપી હિન્દુ સંગઠન મહિલાઓએ રજૂઆતો કરી લેખિત આવેદનપત્ર આપ્યું હતું.

પાદરામાં વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી ગયે ૧૨ દિવસ થવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં થતાં તેમજ જેનો કોઈ અતોપત્તો નહીં લાગતાં જેને લઈને નગરમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠન તેમજ મહિલાઓ, યુવાનો, રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ભેગા મળી રેલીમાં લવજેહાદનો કાયદો કડક બનાવવા માટે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. પાદરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો વિધર્મી સીરાજ યુસુફ બેલિમ પાદરાના લાલાભાઈ લીમડા તળાવ પાસે રહેતી યુવતીને લવજેહાદના નામે પટાવી-ફોસલાવી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરવાની લાલભ આપી ભગાડી ગયેલ છે.

આ યુવક અગાઉ પણ હિન્દુ યુવતીઓને લવજેહાદના નામે ફસાવી ચૂકેલો છે. કેટલાક વિધર્મી યુવાનો લવજેહાદના નામે હિન્દુ યુવતીઓને પોતાનો શિકાર બનાવી પટાવી-ફોસલાવી ધર્મ પરિવર્તન કરાવતો આવેલ છે. આવા બનાવો અનેક વાર બની ચૂકયા છે જેના કારણે લવજેહાદનો કડક કાયદો બનાવી વિધર્મી યુવકો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે.