અમદાવાદ-

રામકથાકાર મોરારી બાપુએ આજે મંગળારે સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ખાતે કોરોનાની રસી લીધી હતી. આ પ્રસંગે મોરારી બાપુએ કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોમાં જાહેર જનતાને સામેલ થવા અપીલ કરી હતી. કોરોના વેક્સિન વિશે લોકોમાં ગેરસમજ ન ફેલાય અને વધુમાં વધુ લોકો કોરોના વેક્સિન લઇને રાષ્ટ્રીય કામમાં સહયોગ આપે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સરકારના દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમને લોકો તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે મોરારી બાપુએ એક જવાબદાર નાગરિક તરીકે મંગળવારે કોરોનાની રસી લઇને વધુમાં વધુ લોકોને કોરોનાની રસી લેવા માટે પ્રેરણા મળી રહેશે તેવી આશા છે.