દિલ્હી-

ભારતીય વાયુસેના માટે ૨૯ જુલાઈનો દિવસ મહત્વનો બની રહેશે . આ દિવસે ભારતને ૫ રાફેલ લડાકૂ વિમાનની ખેપ મળી જશે. તે દિવસે અંબાલા એરફોર્સ સ્ટેશન પર તેને વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. પરંતુ ૨૯ જુલાઈએ હવામાન કેવું રહેશે તે જોવું મહત્વનું રહેશે. આ દિવસે હવામાનની ભૂમિકા મહત્વની રહેશે. ચોમાસુ હોવાને કારણે ઉત્તર ભારતમાં વરસાદ થઈ રહ્યો છે.

૨૯ જુલાઈએ વાયુસેનામાં સામેલ કરાયા બાદ રાફેલ વિમાનને ૨૦ ઓગસ્ટે એક સમારોહમાં વાયુસેનામાં અંતિમ પથી સામેલ કરવામાં આવશે. ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે, ભારતીય વાયુસેનાના ઓફિસરોએ રાફેલની ટેકનિકલ બાબતોને સમજવા માટે તેની વ્યાપક તાલિમ લીધી છે. એરફોર્સના અધિકારીઓએ આ ફાઇટર વિમાનની ઉચ્ચ મારક ક્ષમતાનો ઐંડાણથી અભ્યાસ કર્યેા છે અને તે કામ કરવા માટે તૈયાર છે. વાયુસેના પ્રમાણે રાફેલ આવતા પ્રયાસ કરવામાં આવશે કે વિમાનને જલદીમાં જલદી ઓપરેશન લેવલ સુધી લાવવામાં આવે, એટલે કે આ વિમાનનો અલગ-અલગ ઉદ્દેશ્ય સાથે ઉપયોગ કરવામાં આવે. 

મહત્વનું છે કે ભારતને ફ્રાન્સ પાસેથી આગામી બે વર્ષમાં બે સ્ક્રાડ્રનમાં ૩૬ રાફેલ વિમાન મળવાના છે. એરફોર્સના સૂત્રો પ્રમાણે પ્રથમ સ્કવાડ્રન અંબાલા બેઝથી પશ્ચિમી કમાન માટે કામ કરશે તો બીજા સ્ક્રાડ્રનની તૈનાતી પશ્ચિમ બંગાળના હાશીમારા એરફોર્સ સ્ટેશનમાં કરવામાં આવશે, જેથી પૂર્વી છેડા પર ચીનના કોઈપણ ખતરાનો સામનો કરી શકાય.

રાફેલ લડાકૂ વિમાનમાં ભારતની જરીયાત પ્રમાણે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. તેની ખાસિયતો પર એરફોર્સના અધિકારીઓને વિશેષપથી તાલીમ આપવામાં આવી છે. તેમને ન માત્ર તેની ઓપરેશનલ જાણકારી આપવામાં આવી છે પરંતુ જાળવણી અને સમારકામ વિશે પણ જણાવવામાં આવ્યું છે. 

મહત્વનું છે કે ભારત સરકારે ૨૦૧૬માં ફ્રાન્સ સરકાર પાસેથી ૫૯૦૦૦ કરોડની મોટી રકમના સોદામાં ૩૬ રાફેલ વિમાન ખરીદવાની ડીલ કરી હતી. તેને લઈને દેશની રાજનીતિમાં ભૂકપં આવી ગયો હતો. વિપક્ષે સરકાર પર આંતરરાષ્ટ્ર્રીય બજારથી વધુ કિંમતો પર વિમાન ખરીદવાનો આરોપ લગાવ્યો હતો