અરવલ્લી/શામળાજી : શામળાજી નજીક આવેલ લુસડીયા ગામે સંયુક્ત કુટુંબમાં બધાં ભાઈઓ રહે છે. શામળાજી પોલીસ સ્ટેશનમાં વિનોદ ધુળા ઘાટીયાએ પોતાના ભાઈની સામે જ ફરિયાદ નોંધાવી છે જે ભાઈએ ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું છે.રાકેશભાઈ ધુળાભાઈ ઘાટીયાની પત્ની રીસાઈને પિયર જતી રહેતા રાકેશભાઈને મનમાં લાગી આવતા આવેશમાં આવી પોતાનાં ભાઈ સાથે ઝગડો કરીને ધમાલ કરી ઘરની અંદર પડેલ ઘરવખરી તથા સામાનને આગ ચાંપી દેતા જોતામાં આગે.વિકરાળ સ્વરુપ ધારણ કરતાં મકાન આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. પોતાના ભાઈનાં મકાનને આગ લગાવી દીધી હોવાનું તેને ભાન થતાં મનમાં લાગી આવતાં પોતાના ઘરમા જઈ જાતે ગળેફાંસો ખાઈ રાકેશભાઈ ઘાટીયાએ આત્મ હત્યા કરી દીધી હતી જેની જાણ તેના ભાઈ વિનોદભાઈ ઘાટીયાને થતાં તેને શામળાજી  પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.લાશને પીએમ માટે શામળાજી સીએસસી ખાતે લાવવામાં આવ્યો હતો. વધુ તપાસ શામળાજી પીએસઆઇ એ.એમ.દેસાઈ કરી રહ્યા છે.