વડોદરા, તા.૫

અનંત શ્રી વિભુષિત વાકપતિ પીઠાધિશ્વર પૂ.ગો.૧૦૮નું શ્રી ગોવર્ધનનાથજી હવેલી કારેલીબાગ વડોદરા ખાતે નિર્જલા એકાદશીના પાવન દિવસે વિમોચન થયું હતું. પૂ.શ્રી મથુરેશ્વરજી મહારાજના મુખે વિવિધ તીર્થસ્થળોની પવિત્ર ભૂમિ પર થયેલ શ્રીમદ્‌ ભાગવત કથાનું સંકલન આ દિવ્ય ગ્રંથમાં કરવામાં આવ્યું છે. તેમની ઓજસ્વીશાસ્ત્ર સંમત વાણી દ્વારા મોટી સંખ્યામાં જિજ્ઞાસુજનોની જિજ્ઞાસા તેમજ ભÂક્તભાવનું પોષણ ઉપરોક્ત શ્રીમદ્‌ ભાગવત કથામૃત ગ્રંથ દ્વારા થશે. 

પૂ.ગો.શ્રી મથુરેશ્વરજી મહારાજના શ્રીમદ્‌ ભાગવત કથામૃત ગ્રંથનું પ્રકાશન અ.વિ.શ્રી વલ્લભપ્રીતિ સેવાસમાજ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.