મુંબઈ-

દેશમાં કોપોરેટ ક્ષેત્ર દ્વારા તેના કર્મચારીઓને પણ વેકસીનેશન માટે તૈયારી કરી છે અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેકટર નીતા અંબાણીએ કંપનીના તમામ કર્મચારીઓને વેકસીનેશન માટે રજીસ્ટ્રેશન કરાવી લેવા સૂચના આપી છે. રીલાયન્સ આ વેકસીનેશનનો તમામ ખર્ચ ઉઠાવશે. કર્મચારીઓ ઉપરાંત તેના કુટુંબનું વેકસીનેશન પણ કંપની જ કરાવશે. નીતા અંબાણીએ કર્મચારીઓને મોકલેલા એક ઈમેલમાં જણાવ્યું હતું કે દરેક કર્મચારી તેના પતિ અથવા પત્ની-સંતાનો અને કર્મચારીઓના માતા-પિતાનું વેકસીનેશન કરવામાં આવશે અને આપણે સૌ સાથે મળીને કોરોનાની મહામારીને પાછળ હટાવવામાં સફળતા મેળવશું.