દિલ્હી,
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને ગઈકાલે એ વાતનો સ્વીકાર કર્યેા હતો કે કોરોના વાયરસ હવા દ્રારા પણ ફેલાઈ રહ્યો છે. આ પછી લોકોની ચિંતા વધી ગઈ હતી અને તેમને કોરોનાનો ડર વધુ સતાવવા લાગ્યો હતો. જો કે ભારતીય નિષ્ણાતોનું કહેવું છે કે આનાથી ગભરાવાની જરૂર નથી. આ વાયરસ હવામાં અસ્થાયી રીતે યથાવત રહે છે. તેનો અર્થ એવો બિલકુલ નથી કે વાયરસ દરેક જગ્યાએ પહોંચી રહ્યો છે અને બધાને સંક્રમિત કરી દેશે.
સીએસઆઈઆર-સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિકયુલર બાયોલોજી (સીસીએમબી)ના ડાયરેકટર રાકેશ મિશ્રાએ કહ્યું કે અત્યાર સુધીના દાવા પરથી ખુલાસો થાય છે કે વાયરસ પાંચ માઈક્રોથી ઓછા આકારના નાના ટીપા મારફતે હવામાં આમ-તેમ જઈ શકે છે અને મોટા ટીપાના રૂપમાં તે થોડી જ મિનિટો સુધી હવામાં રહેશે. તેમણે કહ્યું કે આનો સ્પષ્ટ્ર અર્થે એ થાય કે યારે કોઈ વ્યકિત બોલે અથવા શ્ર્વાસ લ્યે છે તો અમુક ટીપા હવામાં જાય છે અને થોડા સમય સુધી હવામાં ટકી રહે છે એટલા માટે લોકોએ માસ્ક બિલકુલ કાઢવું જોઈએ નહીં. યાં સુધી હું સમજું છું ત્યાં સુધી અમુક સંશોધનને બાદ કરીને દિશા-નિર્દેશમાં ફેરફાર કરવાની જરૂર નથી. તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી કે વાયરસ દરેક જગ્યાએ ઉડી રહ્યો છે અને તમામને સંક્રમિત કરી દેશે
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments