રાનકુવા

રાજ્ય પોલીસ વડા દ્વારા રાજ્યના ૧૨૯ જેટલા પી.એસ.આઈની બદલી કરાતા નવસારી જિલ્લાના ૨ પી.એસ.આઈની બદલી થવા પામી છે. તેની સાથે નવસારી જિલ્લામાં ૩ જેટલા પી.એસ.આઇનુ આગમન થવા પામ્યૂ છે.

નવસારી જિલ્લામાંથી બદલી થયેલા જિલ્લા ટ્રાફિક શાખામાં પી.એસ.આઇ તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ હરિસિંહ ની બદલી છોટાઉદેપુર ખાતે તેમજ ચીખલી પોલીસ મથકે ફરજ બજાવતા રાકેશકુમાર ઠુંમર ની અમદાવાદ ખાતે બદલી થવા પામી છે. તો બીજીતરફ અમદાવાદ શહેર માંથી કડીવાલા સમીર જયહિન્દભાઈ તેમજ સૂર્યવંશી અજય રમેશભાઈ અમદાવાદ શહેરમાંથી નવસારી જિલ્લામાં બદલી પામ્યા છે. જ્યારે સુરત ગ્રામ્ય ખાતે ફરજ બજાવતા જાગૃત નવીનચંદ્ર જોશી ની બદલી નવસારી જિલ્લામાં થવા પામી છે.