વડોદરા 

વડોદરા મહાનગર પાલિકાના કમિશ્નર સ્વરૂપ.પીને રૂબરૂ મળીને યુવા જન જાગૃતિ પાર્ટી દ્વારા કાપુરાઇની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવાને માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં કાપુરાઇ ગામમાં તળાવની સમસ્યાને લઈને આંગણવાડી પાસે પાણી લીકેજ થઇ રહ્યું છે. એ પ્રશ્નનો તાકીદે નિવેડો લાવવા રજુઆતમાં જણાવ્યું છે. યુવા જન જાગૃતિ પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પઢીયાર અને જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિજય જાધવની આગેવાનીમાં કાર્યકરો દ્વારા આ આવેદન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓએ આવેદનપત્રમાં અગાઉ કરેલ સ્મશાન સહિતની સમસ્યાઓનો ઉલ્લેખ કરીને એની કામગીરી તાકીદે હાથ ધરવામાં આવે એવી માગ કરી હતી.