મુંબઈ-
દેશમાં કોરોનાકાળને પગલે અર્થતંત્ર થોડો સમય સદંતર ખોરંભે પડી ગયા બાદ હવે ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે અને જો આવી જ વિકાસગતિ થોડો સમય વધુ ચાલુ રહી તો તેને ટેકો આપવા માટે કોઈક નીતિ ઘડવી પડશે એમ ભારતીય રીઝર્વબેંકે કહ્યું હતું.
ગુરૂવારે આપેલા એક નિવેદનમાં બેંકે કહ્યું હતું કે, તાજેતરમાં જે પ્રકારના સૂચકાંકો દેખાઈ રહ્યા છે એ જોતાં જો ફૂગાવો થોડો સમય નિયંત્રણમાં રહે અને વિકાસના સૂચકાંકો આ રીતે જ આશાસ્પદ જણાય તો એ ભારતીય અર્થતંત્ર માટે એક મોટો કમબેક કહેવાશે. બેંકે આને વી શેપ કમબેક કહ્યો છે. નોંધવા જેવી વાત એ છે કે, બજાર અને અર્થતંત્રમાં સુધારામાં એક અગત્યના સૂચકાંક શેરબજારનો સુધારો હાલમાં ભારતમાં જેવો જોવા મળ્યો છે, એ દુનિયાભરના શેરબજારોની સરખામણીએ ઘણો આગળ છે. ટકાવારીની વાત કરીએ તો ભારતનો શેરબજારમાં તેના સૌથી નીચા સ્તરથી ઊંચે જવાનો ટકાવારી પ્રમાણેનો ફેરફાર 84 ટકા જેટલો ઊંચો છે, જેનાથી વધારે માત્ર બીજા બે દેશોમાં છે, પહેલું દક્ષિણ કોરીયા અને બીજું બ્રાઝીલ. આ યાદીમાં અમેરીકા ચોથા અને ચીન 14મા ક્રમે છે.
બેંક ત્યાં સુધીનો આશાવાદ સેવે છે કે, જાન્યુઆરીથી થયેલો સુધારો આગામી તહેવારોની મોસમ પહેલા સુધી એટલે કે જુલાઈ થી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. દેશમાં નાણાકીય ખાદ્યની સામે વિકાસદરનું પ્રમાણ 10.4 ટકા રહેશે એમ બેંક માને છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments