બાયડ : બાયડ સ્થિત જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકલાંગ (દિવ્યાંગ) બહેનોના આશ્રમમાં ૧૮૧ મહિલા અભયમ દ્વારા બિનવારસી માનસિક વિકલાંગ બહેનોને આશ્રમ સુધી પહોંચાડવામાં આવે છે. અહીં બહેનોને બે ટાઈમ ભોજન, નાસ્તો, કપડાં, મેડિકલ ટ્રીટમેન્ટની સાથે પ્રેમ, હૂંફ, લાગણી આપવામાં આવી હતી,જેના કારણે આશ્રમવાસી બહેન ની માનસિક સ્થિતિ માં ધીમે ધીમે સુધારો આવતા પોતાના પરીવારનું સરનામું યાદ કરતા પોલીસ ઇન્કવાયરી તથા અન્ય માધ્યમ દ્વારા પરિવાર સુધી પહોંચાડવાની અનોખી પ્રવૃત્તિ હાથ ધરાય છે.જેના ભાગ રૂપે મધ્યપ્રદેશ ના રાહડોલ જિલ્લાના પાપોન્ધ ગામની સકરી બહેન(મત્રી યાદવ) કે જેઓ ૨૧/૫/૨૦૧૯ ના રોજ બગોદરા સ્થિત મંગલ મંદિર માનવ સેવા થી બાયડ આશ્રમ લાવવામાં આવ્યા હતા,૪ વર્ષ ૩ મહીનાથી પરિવરથી વિખુટા પડેલ બહેન ને આશ્રમમાં લાગણી,પોતાનાપણું, હૂંફ, બે ટાઈમ ભોજન,અને માનસિક રોગ ની સારવાર મળતા ઘર પરિવાર નું સરનામું બોલતા થયા, આશ્રમના સેવાસાથી રાકેશભાઈએ તે દિશામાં સકરી બેન ના પરિવાર ની પોલીસની મદદ થી ટેલિફોનિક શોધખોળ કરી તોઆજે ૨૪/૯ ના રોજ તેમના બંને દીકરા માતા ને લેવા માટે આવ્યા હતા.૪ વર્ષ પછી આશા ગુમાવેલ પુત્રો ને જોઈ માતા અને પુત્રો ની આંખો માં હર્ષ ના આશુ છુપાતા ન હતા. આશ્રમ દ્વારા અત્યાર સુધી ૧૧૬બહેનોને પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળી છે.