ભોપાલ-

મધ્યપ્રદેશના છતરપુરમા આજે માર્ગ અકસ્માતની દુર્ઘટના ઘટી. જેમાં મહિલા, બાળકો સહિત ૮ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. આ એક્સિડન્ટ જિલ્લાના ચંદ્રનગર ચોકી વિસ્તારમા થયુ હતુ.

જ્યારે, આ એક્સિડન્ટમા ૩ લોકો ઘાયલ થયા હતા, તેમને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા. સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ, ૩ લોકો બાઈક પર ચંદ્રનગરથી છતરપુર તરફ જઇ રહ્યા હતા. ત્યારે જ સામેથી ઝડપથી આવી રહેલી સ્કોર્પિયોએ ત્રણ બાઇકને ટક્કર મારી હતી.

ટક્કર એટલી જાેરદાર હતી કે, રોડ પર લાશના ઢગલા થઇ ગયા હતા. આ એક્સિડન્ટમા ૪ બાળકો, ૨ મહિલાઓ અને ૨ પુરુષો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. જાે કે એક્સિડન્ટ વિશે જાણકારી મળતા જ ઘટના સ્થળે સ્વાસ્થ્ય વિભાગ અને પોલીસની ટીમ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામા આવ્યા હતા.