અમદાવાદ-

ગુજરાતમાં કોરોના કેસ દિવાળી બાદ આશ્ચર્ય જનક રીતે વધી રહ્યા છે. ત્યારે ભાજપના નેતા રેલીઓ અને કાર્યક્રમો યોજી રહ્યા છે. કોરોના સંકટ વચ્ચે પણ ભાજપના નેતાઓને સન્માનમાં જ રસ છે. MLA આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. એટલું જ નહીં પણ સુરતના કરંજ ગામમાં આત્મારામ પરમારે રેલી પણ યોજી હતી. સન્માન રેલીમાં આવેલા લોકોમાં કેટલાક માસ્ક વિના નજરે પડ્યા એટલું જ નહીં પરંતુ સામાજિક અંતરના પણ ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમથી લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું તો જવાબદાર કોણ? જનતાને બધા નિયમો લાગુ પડે છે, નેતાઓને છૂટ્ટો દોર કેમ? એ સવાલે આજે આમ જનતા પુછી રહી છે. જોકે હાલ દિવાળીના તહેવારો બાદ રાજયમાં ફરિ કોરોના એ ઉથલો માર્યો છે. જેને પગલે રાજયના મહાનગરોમાં ફરિથી કરફર્યુ લાદવાની ફરજ પડી છે. ત્યારે આ બધી જ વાતોથી બે ખબર પ્રજાના પ્રતિનિધીઓ રેલીઓમાં વયસ્ત જોવા મળી રહ્યા છે.