વર્તમાન મહામારીને કારણે વડોદરાની ઓળખ બનેલા ‘સાર્વજનિક ગણેશોત્સવ’ની ઉજવણી થઈ શકી નહીં. પરંતુ કલાકીના પૌરાણિક જાગનાથ મહાદેવના પ્રાંગણમાં શ્રી સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌ સમિતિ દ્વારા સ્થપાયેલા સૌથી વિરાટ કદની શ્રી ગણેશની પ્રતિમ ‘બડા ગણેશ’ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને ‘સાર્વજનિક ગણેશોત્સવ’ની ખોટ પુરી કરી રહ્યા છે.