સાબરકાંઠા-

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બાયપાસ રોડ પરથી રેતી ભરી વહન કરતા વાહનોમાં ગેરરીતી અટકાવવા ભૂસ્તર શાસ્ત્રીશ્રીની કચેરી દ્વારા વારંવાર તપાસ હાથ ધરી ગેરરીતી પકડાય તેવા કિસ્સાઓમા દંડકિય કાર્યવાહી કરવામાં આવે છે. ખનીજચોરો વોટ્સ એપ ગ્રુપથી બાતમી મેળવી તપાસ ટીમથી બચી જવાના પ્રયત્નો કરતા હોવા છતાં જીલ્લા ભૂસ્તર શાસ્ત્રીશ્રીની તપાસ ટીમ દ્વારા કાલે સાંજે હિંમતનગર બાયપાસ રોડ પર આવેલ ટોલટેક્ષ પાસે અચાનક રેઇડ કરી રોયલ્ટીપાસ વગર અને ઓવરલોડ સાદીરેતી ખનીજ ભરી વહન કરતા 04 ટ્રકો જપ્ત કરેલ છે. તપાસ ટીમ દ્વારા ઉપરની કુલ-૦૪(ચાર) ટ્રકોને જપ્ત કરી દંડકીય વસુલાતની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે જેમાં અંદાજે 6(છ) લાખ રૂપિયાની દંડકીય વસુલાત કરવામાં આવશે.