નવી દિલ્હી  

બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ બેંગકોકમાં આગામી ટુર્નામેન્ટ પહેલા લાદવામાં આવેલા પ્રતિબંધોથી ખુશ નથી. તેમણે કોવિડ -19 પ્રોટોકોલ અંતર્ગત લાદવામાં આવેલી પ્રતિબંધો અંગે નારાજગી વ્યક્ત કરતાં અનેક ટ્વીટ્સ કરી હતી. ભારતીય ખેલાડીઓ બેંગકોકમાં 12 થી 17 જાન્યુઆરી સુધી યોનેક્સ થાઇલેન્ડ ઓપનમાં ભાગ લેશે. આ પછી, 19 થી 24 જાન્યુઆરી સુધી ટોયોટા થાઇલેન્ડ ઓપન અને બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ 27 થી 31 જાન્યુઆરી સુધી રમાશે. સાયનાએ વર્લ્ડ બેડમિંટન ફેડરેશન (બીડબ્લ્યુએફ) ની ટ્રેનર અને ફિઝિયોને મળવા ન દેવા બદલ ટીકા કરી હતી. આ 30 વર્ષિય શટલરે વહેલી તકે કોઈ સમાધાન શોધવાની વિનંતી કરી છે.