શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સાંગાકારાએ આઈસીસીના ચેરમેન પદ માટે બીસીસીઆઈના હાલના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નામનું સમર્થન કર્યું છે. કુમાર સાંગાકારાએ કહ્યુ કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષનું 'તીવ્ર ક્રિકેટ દિમાગ' અને વહીવટ કર્તાના રૂપમાં તેમનો અનુભવ તેને આ ભૂમિકા માટે યોગ્ય દાવેદાર બનાવે છે.

કુમાર સાંગાકારાએ સ્વીકાર્યુ કે તે સૌરવ ગાંગુલીના મોટો સમર્થક છે. તેમણે કહ્યું કે પૂર્વ ભારતીય કેપ્ટનની આંતરરાષ્ટ્રીય માનસિકતા છે, જે મહત્વપૂર્ણ પદો પર રહેતા પક્ષપાત રહિત કરવા માટે જરૂરી છે. કુમાર સાંગાકારાએ કહ્યુ, મને લાગે છે કે સૌરવ ગાંગુલી પરિવર્તન લાવી શકે છે. હું દાદાનો મોટો પ્રશંસક છું, માત્ર ક્રિકેટના રૂમાં તેના દરજ્જાને કારણે નહીં પરંતુ મને લાગે છે કે કતેની પાસે તીવ્ર ક્રિકેટ મગજ છે. \

સાંગાકારાએ કહ્યુ, તે દિલથી ક્રિકેટના સર્વશ્રેષ્ઠ હિત વિશે વિચારે છે અને જ્યારે તમે આઈસીસીમાં હોય તો તે માત્ર તે માટે ન બદલવું જોઈએ કે તમે બીસીસીઆઈ અધ્યક્ષ હોવ કે ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ કે અન્ય બોર્ડ. સાંગાકારાએ કહ્યુ, તમારી માનસિકતા આંતરરાષ્ટ્રીય હોવી જોઈએ અને તમે જ્યાંથી આવ્યા તો ત્યાંને લઈને મતભેદ ન હોવા જોઈએ. જેમ કે હું ભારતીય, શ્રીલંકન, ઓસ્ટ્રેલિયન કે ઇંગ્લિશ છું. તેણે સમજવું જોઈએ કે હું ક્રિકેટર છું અને તે કરી રહ્યો છું, જે ક્રિકેટ રમનાર બધા દેશો માટે સર્વશ્રેષ્ઠ છે.