વડોદરા ઃ ઇન્ડિયન ઓઇલ કંપનીની ગુજરાત રિફાઇનરીના નવા એક્ઝિક્યુટિવ ડિરેકટર અને રિફાઇનરીના હેડ તરીકે સંજય ભટનાગરની નિમણૂંક કરાઈ છે. સુધીર કુમાર વય નિવૃત્ત થતાં તેમના સ્થાને સંજય ભટનાગરની નિમણૂંક કરાઈ છે.૧૩.૭ એમએમટીપીએની ક્ષમતા ધરાવતી ગુજરાત રિફાઇનરીમાં તેઓ ઇડી તરીકે સેવા આપતા હતા.ગુજરાત રિફાઇનરી હવે મહત્વના પેટ્રોકેમ હબ બનવા જઇ રહી છે ત્યારે સંજય ભટનાગરે હોદ્દો સંભાળ્યો છે.ગુજરાત રિફાઇનરીની શુધ્ધિકરણ ક્ષમતા પણ હવે ૧૩.૭ એમએમટીપીએ પરથી ૧૮એમએમટીપીએ થઇ રહી છે. સંજય ભટનાગર અગાઉ પાણીપત રિફાઇનરીના ઇડી પદે પણ સેવા આપી ચૂક્યા છે. એએમયુમાંથી કેમિકલ એન્જિનયર બાદ આઇઆઇપીએમમાંથી એમબીએની પદવી તેમણે મેળવી છે.