વડોદરા : વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર નિસારબાપુના પુત્રી સંજીદાબેગમ નાસિરહુસૈન સૈયદે કોંગ્રેસ પાસે વોર્ડ-૬માંથી ટીકીટ માગી હતી. પરંતુ મળી નહોતી.આનાથી નારાજ સંજીદાબેગમે એનસીપીમાંથી ઉમેદવારી કરીહતી.આ ઉમેદવારીપત્ર તેઓએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જીપીસીસીના પ્રવક્તા ઋત્વિજ જાેશી, વડોદરાના માયનોરીટીના અધ્યક્ષ અલ્તાફહુસૈન કાદરી ઉર્ફે ગુડ્ડૂભાઈની સમજાવટથી માની જતા એનસીપીમાંથી ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું હતું. તેમજ પુનઃ અગાઉની માફક કોંગ્રેસમાં જાેડાઈને વોર્ડ-૬ની કોંગ્રેસની પેનલને સમર્થન આપીને જંગી બહુમતીથી જીતાડી આપવાનું વચન આપ્યું હતું. આ પ્રસંગે નેતાઓ ઉપરાંત પ્રભુ સોલંકી, કોંગ્રેસના વોર્ડ-૬ના ઉમેદવારો પાર્વતીબેન સોલંકી, હેમાંગીનીબેન સોલંકી,હેમંત આમરે, જુનેદ પઠાણ અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.