મુંબઈ-

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને લીધે પૂણેના વહીવટી તંત્ર દ્વારા રવિવારે પગલાં લેવામાં આવ્યા હતા. કોરોનાની સ્થિતિ વધતી જતી હોવાને લીધે પુણેમાં 14 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ રહેશે. મેયર મુરલીધર મોહોલે કહ્યું કે લોકોને રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ઘરની બહાર નીકળવા નહીં મળે. એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રનાં અમરાવતી જીલ્લામાં એક અઠવાડીયા માટે લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. અમરાવતીમાં 8 માર્ચ સુધી લોકડાઉન લગાડી દેવામાં આવ્યું છે. ત્યારે જિલ્લાની બધી જ સ્કૂલ, દુકાનો, કોલેજો, બંધ કરી દેવામાં આવી છે. જીવન જરૂરિયાત ચીજવસ્તુ જ આપવામાં આવશે. પુણેના ડિવિજનલ કમિશ્નર સૌર્ર્ભ રાવે કહ્યું કે દુકાનો ખૂલી રાખવા માં કોઈ રોકટોક લગાવવામાં આવી નથી. કોવિડ-19નાં નિયમોનું પાલન કરી ને દુકાનો ખૂલી રાખવામા આવશે. રેસ્ટોરન્ટ અને હોટલ ના સમયમાં કઈ પણ બદલાવ નહીં કરવામાં આવે. પુણેમાં શનિવારે કોરોનાના 1484 કેસો નવા સામે આવ્યા છે.આવી જરીતે જિલ્લામાં અત્યાર સુધીના કોરોનાના 4,08,000 કેસો સામે આવ્યા છે. જેમાથી 3,86,000 લોકો બીમારી થી સાજા થયા છે. ત્યારે પુણે માં 8105 લોકો કોરોનાને લીધે મૃત્યુ થયા છે.