ભોપાલ,તા.૬

ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનાં Âટ્‌વટર એકાઉન્ટમાંથી કથિત રીતે ‘ભાજપ’ શબ્દ હટાવી દીધો છે. જેની જગ્યાએ જનતાનો સેવક અને ક્રિકેટ પ્રેમી લખી કાઢ્યું છે. ત્યારથી રાજકીય અટકળો તેજ થઇ ગઇ છે. કેટલાંક કહે છે કે સિંધિયાએ તેનાં પ્રોફાઇલમાં ક્્યારેય પણ ‘ભાજપ’ જાડ્યું ન હોતું. હજુ આ મામલે ભાજપ કે જ્યોતિરાદિત્ય સિંધિયા તરફથી કોઇ જ પ્રતિક્રિયા સામે આવી નથી.૧૮ વર્ષ સુધી કોંગ્રેસ સાથે રહ્યાં બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપમાં જાડાયા હતા. બાદમાં તેમનાં સમર્થકોને શિવરાજસિંહનાં મંત્રીમંડળમાં શામેલ કરવા અને તેઓને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનાવવાની ચર્ચા હતી.