નડિયાદ : પિંગક્ષા સમાજ સેવા એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે નડિયાદમાં સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઇ હતી. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 250થી વધુ ચવાણાની કિટોનું વિતરણ કરાયું હતું. શહેરના મિશન રોડ, રામતલાવડી, સંતરામ મંદિર, માઇ મંદિર, નિલકંઠ મહાદેવ મંદિર, વલ્લભ નગર મહાદેવ મંદિર, શનિદેવ મંદિરે, ગીતાંજલિ રોડ વિસ્તારોમાં જરૂરિયાત મંદ બાળકો અને વૃદ્ધોને આ કીટ અપાઇ હતી. આ સેવાકીય પ્રવૃત્તિમાં ટ્રસ્ટના પ્રમુખ હર્ષદકુમાર વાઘેલા સહિત અન્ય યુવાનો ભુમિત પરમાર, રાહુલ રાવલ, મનોજ પટેલ, વિજય તળપદા, લુઇસ ટેલર હાજર રહ્યા હતા.