મુરાદાબાદ-

મુરાદાબાદના પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવેલ બાઈટ સ્ટાર હોસ્પીટલમાં ઓકસીજન નહીં મળવાથી 17 કોરોના દર્દીઓના મોતનો દાવો થઈ રહ્યો છે, આ બારામાં જાણકારી મળતા જ દર્દીઓનાં પરિવારજનો હોસ્પીટલના ગેટે પહોંચી ગયા હતા અને તેમણે હોસ્પીટલના પ્રશાસન સામે ઓકસીજનની વ્યવસ્થા ન કરવાનો આરોપ લગાવીને હંગામો શરુ કરી દીધો હતો. આ હંગામાની જાણ થતા પોલીસ ફોર્સ ઘટના સ્થળે ધસી ગયો હતો અને હંગામો કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છેકે અત્યાર સુધી 17 કોરોના સંક્રમીતોના મોત નિપજયા છે. જો કે આ મામલે હોસ્પીટલ પ્રશાસન અને પોલીસ પ્રશાસન અધિકારી કંઈ પણ બોલવા તૈયાર નથી.