વડોદરા : જાણીતા ધારાશાસ્ત્રી નિરજ જૈન રચિત નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા કામનાથ મહાદેવ મંદિરના ઐતિહાસીક ઓવારાની સફાઇ હાથ ધરવામાં આવી છે. જેમાં ૪૨માંથી ૨૮ પગથીયાની સફાઇ થઇ છે. માટીમાં દબાયેલા અન્ય પગથીયા બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. સાથે અટલ અખાડાના સંતોની સમાધિઓ મળી આવી છે. જે પૈકી ત્રણ સમાધીઓના રિનોવેશનની જવાબદારી ગૌરક્ષા સમિતિના સચિન સોની, સામાજીક અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પાંચ સમાધિના રિનોવેશનના અને ભાજપના અગ્રણી અજીત પટેલે મહાદેવના મંદિરને કલરકામની જવાબદારી લીધી છે.