કોરોનાની મહામારી વચ્ચે ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે શહેરના રાજમહેલમાં રાજવી પરિવાર દ્વારા ગણપતિની સ્થાપના કરી હતી. શ્રીજીને પરંપરાગત રીતે શરણાઇના સૂર અને ભજન-ર્કિતન અને ગણપતિ બાપા મોરયા..ના ગગનભેદી જયઘોષ સાથે પાલખીમાં રાજમહેલમાં લઇ જવાયા હતા. જ્યાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડ, રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડ સહિત પરિવારજનોએ ખાસ તકેદારી સાથે શ્રીજીની સ્થાપના કરી હતી.