ગાંધીનગર-

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગત તા. ૬ ઑગસ્ટની મધરાતે લાગેલી આગની ઘટનામાં કમનસીબે આઠ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે રાજ્ય સરકારે જ્યુદિશિયલ ઇન્કવાયરીના આદેશો આપ્યા છે. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજની અધ્યક્ષતામાં તપાસપંચની રચના કરવામાં આવી છે. આ તપાસપંચ ત્રણ માસમાં રાજ્ય સરકાર સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે.