દિલ્હી-
પંજાબમાં કોંગ્રેસ વચ્ચેની લડાઈ ફરી વધી રહી છે, મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ અને પ્રદેશ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના જૂથ વચ્ચેનો ઝઘડો ફરી વધતો જોવા મળી રહ્યો છે. સિદ્ધુ જૂથના લગભગ 20 ધારાસભ્યો અને કેબિનેટ પ્રધાનો પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન તૃપ્ત રાજેન્દ્ર સિંહ બાજવાનાં ઘરે ભેગા થયા હતા. આ કેપ્ટન વિરોધી ધારાસભ્યો અને પ્રધાનોએ નવજોત સિંહ સિદ્ધુના રાજ્યાભિષેકને ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો. મળતી માહિતી મુજબ નવજોત સિંહ સિદ્ધુના સમર્થનમાં ખુલ્લેઆમ આવેલા આ ધારાસભ્યોને પણ કેપ્ટનની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. સરકાર પર આરોપ છે કે, સિદ્ધુ જૂથના ધારાસભ્યો અને પ્રધાનોના વિસ્તારોમાં ઘણા મોટા વહીવટી ફેરબદલ કરવામાં આવ્યા છે. સરકારે આ ધારાસભ્યોના મનપસંદ અધિકારીઓ, પ્રધાનોને તેમના વિસ્તારોમાંથી બદલી કરી દીધી છે. વહીવટી ટ્રાન્સફરની સાથે સાથે સરકારી સ્તરેથી પણ કેટલાક વધુ પગલાં પણ લેવામાં આવ્યા હતા. પંજાબના અમુક પ્રધાનો અને ધારાસભ્યોના અન્ય ઘણા કામો પણ રાજ્ય સરકારે બંધ કરી દીધા છે. નવજોત સિંહ સિદ્ધુને ટેકો આપતા ધારાસભ્યો અંગે રાજ્ય સરકારે લીધેલા આ પગલાંને કારણે ધારાસભ્યો અને પ્રધાનોમાં નારાજગી જોવા મળી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments