ભાવનગર-

ગુજરાતમાં સંભવિત વાવાઝોડાના દહેશતને પગલ અગમચેતીના પગલા લેવાઇ રહ્યાં છે. ત્યારે ભાવનગરના દરિયાકાંઠે એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે જિલ્લાના ઘોઘા બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અને, માછીમારોને દરિયા ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. હાલ અરબી સમુદ્ર્માં હવાનું દબાણ સર્જાયું છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય કરતા વધારે પવન ફુંકાઇ રહ્યો છે. અને, આ વાવાઝોડું 17-18ની આસપાસ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. જેને લઇને સરકાર પણ એલર્ટ થઇ છે.