વલસાડ : મહોરમનો તાજીયા પર્વ આ વખતે ખેરગામ ખાતે સાદગી પૂર્વક તાજીયા કમિટીના પ્રમુખ સાજીદ ઇકબાલ શેખની આગેવાની હેઠળ ઉજવવામાં આવ્યો હતો.કોરોના મહામારીના કારણે તાજીયાનું જુલુશ આ વખતે રદ કરવામાં આવ્યું હતું.તેમજ મુસ્લિમ ફળીયા ખાતે તાજીયાની તમામ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.મુસ્લિમોની સાથે હિન્દૂ ભાઈ બહેનો પણ તાજીયામાં પોતાની માનતા ચડાવતા આવ્યા છે,પરંતુ આ વખતે જુલુશ બજારમાં નહીં જતા તમામ હિન્દૂ મુસ્લિમ ભાઈ બહેનોએ મુસ્લિમ ફળિયામાં આવી એક જ જગ્યા ઉપર પોતાની માનતા ચડાવી તાજીયાના દર્શન કર્યા હતા.હિન્દૂ સમાજના અગ્રણી ભાજપ મહામંત્રી શૈલેષ ટેલર,જિલ્લા પંચાયત સભ્ય પ્રશાંત પટેલ,માજી સરપંચ નટુભાઈ પટેલ,બ્રહ્મ સમાજના અંકુર શુકલ સહિતના આગેવાનો દ્વારા મુસ્લિમ આગેવાનોનું સ્વાગત અને સન્માન કરાયું હતું.