મુંબઇ- 

ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું અવસાન થયું છે. તે 74 વર્ષના હતા. તેમના મૃત્યુ સાથે મનોરંજન ઉદ્યોગમાં શોકનું મોજુ છે. છેલ્લા કેટલાક દિવસોથી તેની તબિયત સારી નહોતી. તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. ઓગસ્ટમાં એસપીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેને ચેન્નઇની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.13 સપ્ટેમ્બરના રોજ, તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ હોવાનું જાણવા મળ્યું.

ફિલ્મ નિર્માતા વેંકટ પ્રભુએ સોશિયલ મીડિયા પર એસપી બાલાસુબ્રમણ્યમને શ્રદ્ધાંજલિ આપી છે. વેંકટ પ્રભુએ ટ્વિટ કરીને લખ્યું છે- #RIPSPB 

એસપી બાલાસુબ્રમણ્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની હાલત 13 ઓગસ્ટે કથળી હતી, ત્યારબાદ તેણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જો કે, 13 સપ્ટેમ્બરે એસપીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 

એસપી બાલાસુબ્રમણ્યમે હિન્દી સિનેમાને એકથી વધુ ગીત આપ્યા છે. તેના ઘણા ગીતો સલમાન ખાન પર ફિલ્માવવામાં આવ્યા છે. જેમ કે – પહેલા-પહેલા પ્યાર હૈ,મેરે રંગ મે રંગને વાલી,દિકતાના-દિકતાના,મેરે જીવન સાથી,આજા શામ હોને આઇ.