ગાંધીનગર-

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા અને સચિવાલયમાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. આજે વિધાનસભામાં 4 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે. તો કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ઓફિસમાં 3 કર્મચારીને કોરોના થયો છે. જ્યારે મંત્રી ઇશ્વર પટેલની ઓફિસમાં 2 કર્મચારીને કોરોના થયો છે. મહત્વનું છે કે, 21મી સપ્ટેમ્બરથી શરૂ થાય છે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે. ત્યારે કોંગ્રેસના 3 ધારાસભ્યો અને ભાજપના 4 ધારાસભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે ધારાસભ્યોના કોરોના ટેસ્ટ બાકી છે તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસના વિરજી ઠુમ્મર, ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ પટેલ, નાથા પટેલ અને પુના ગામિત, સાણંદના કનુ પટેલ, લલિત કગથરા એમ 3 ધારાસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.